દિયોદર ખાતે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સંદર્ભે લગ્ન મંડપ એસોસિએશન ની બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

    રાજ્ય માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું. જેમાં ધીમેધીમે હવે સરકાર ની ગ્રાઇડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે. પરંતુ લગ્ન પ્રસંગ માં 100 ઉપરાંત લોકો ને ભેગા થવાની શૂટ ના હોવાથી છેલ્લા સાત મહિના થી લગ્ન મંડપ ના વેપાર ધંધા બંધ હોવાથી હજારો કામદારો ને પોતાનો પરિવાર નું ગુજરાન ચલાવવા મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આજે દિયોદર જી આઈ ડી સી ખાતે મંડપ એસોસિએશન ની એક મહત્વ ની બેઠક મળી હતી. જેમાં આ બેઠક માં દરેક લગ્ન મંડપ ના ધંધા રોજગાર સાથે જોડાયેલા વહેપારીઓ હાજર રહા હતા. અને સરકાર સામે વિરોધ કર્યા વિના મીડિયા ના માધ્યમ થી માંગણી કરી હતી કે સરકાર સરકારી કાર્યક્રમ માં માણસો એકઠા થવાની છુટ આપે તો લગ્ન પ્રસંગ માં કેમ 500 માણસો ભેગા ના થઇ શકે ? જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે તો છેલ્લા સાત મહિના થી બંધ મંડપ ના ધંધા રોજગાર ફરી ચાલુ થાય તેમ છે. હાલ ધંધા રોજગાર બંધ હોવાથી પરિવાર નું ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે. કામદારો ને પણ કઈ રીતે મજૂરી આપી શકીએ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ દિયોદર મંડપ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment